https://chat.whatsapp.com/JepNhV4zQhPEioWDqookHz







મંગળવારે કેન્દ્ર સરકારે છ વર્ષ બાદ આવશ્યક દવાની સુધારેલી યાદી જાહેર કરી હતી જેમાં ૩૪ દવાનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને સામે ૨૬ દવાઓને આ યાદીમાંથી પડતી મૂકવામાં આવી હતી . આ યાદી જાહેર થયા બાદ ડાયાબિટીસ , ટીબી , કોન્ટ્રાસેપ્ટિવ , હોર્મોનલ , એન્ટિ - કેન્સર ઉપરાંત દરેક પ્રકારના ઉપચારમાં કામ લાગતી એન્ટિ બાયોટિક્સ દવાઓ સસ્તી થશે . સરકાર પેઇનકિલર , નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી પ્રોડક્ટ્સની કિંમતોમાં ઘટાડો કરે તેવું અનુમાન છે . કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ . મનસુખ માંડવિયાએ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે ૩૮૪ દવાની આ યાદી ૨૦૧૫ બાદ પહેલી વાર અપડેટ કરવામાં આવી છે . આ એક લાંબી પ્રક્રિયા હોય છે જેમાં ૩૫૦ થી વધારે તજજ્ઞોની સાથે ૧૪૦ લોકોના વિચાર - વિમર્શ બાદ તેને ઇશ્યૂ કરવામાં આવી છે અને તેમાં તેના ૧,૦૦૦ જેટલા ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે .



NLEM નું લોન્ચિંગ ૨૦૧૫ માં કરવામાં આવ્યું હતું 

આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી ( NLEM ) મા સામેલ થનારી દવાઓ અને ઉપકરણોની કિંમત રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી ( NPPA ) નક્કી કરશે . તે પછી આ નક્કી કરેલી કિંમત પર ઉત્પાદકોએ દવાઓ અને ઉપકરણો વેચવા પડશે . NLEM ને ૨૦૧૫ માં લોન્ચ કરવામાં આવી હતી અને તેની પાછળનો ઉદ્દેશ આવશ્યક દવાઓની કિંમતો અને ઉપલબ્ધતાને નિયંત્રિત કરવાનો હતો .


કેન્સર પેદા કરતી 26 દવા ભારતમાંથી હટાવાઈ

કેન્સર પેદા કરતી હોવાથી ૨૬ દવા યાદીથી હટાવાઇ કેન્દ્ર સરકારે આવશ્યક દવાની યાદીમાં સુધારો કરવાની સાથોસાથ ઓછામાં ઓછી ૨૬ દવાઓને આ યાદીમાંથી હટાવી લીધી હતી તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું . અહેવાલો અનુસાર આમાંની ranitidine સહિત કેટલીક દવાઓને લઇને કેન્સર થવાની ચિંતાઓ ઊભી થઇ હોવાના કારણે તેને યાદીમાંથી હટાવી લેવામાં આવી હતી . સરકારે રેનિટિડીન , સુક્રાલફેટ , વ્હાઇટ પેટ્રોલેટમ , એટેનોલોલ અને મેથિલ્ડોપા જેવી દવાઓને સુધારેલી યાદીમાંથી હટાવી લીધી છે .